Wednesday 11 January 2017

બોર્ડનું પરિણામ : સ્કુલના દેખાવની ખરી વાસ્તવિકતા શું ?

કહેવાય છે કે મે મહિનો એટલે મીઠા ફળો ખાવાનો, પરંતુ કરેલા પુરૂષાર્થ જેટલું મીઠું ફળ મળે તે પણ હકીકત છે. વાત અહિં વિદ્યાર્થીઓ, સ્કુલ, ટ્યુશન તથા વિદ્યાર્થીઓના માતા-પિતા માટે લાગુ પડે છે. સામાન્ય રીતે મે મહિનો પરિણામની મોસમ તરીકે ઓળખાય છે. ધોરણ 10 અને 12નું ગુજરાત બોર્ડ, ICSE, CBSE નું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. ત્યારે મોટા ભાગના સમાચાર પત્રોમાં સ્કોલર વિદ્યાર્થીઓના ફોટા સહિતના અવતરણ છપાતા હોય છે. છાપામાં આવેલા સંતાનોના નામ બાદ વાચકો તેની સ્કુલનું ગર્વ લઇને ખુશ થતા હોય છે. સમાચાર પત્રમાં આવેલા ફોટા સહિતના તેઓના તરણની કાપલીને સ્કોલર વિદ્યાર્થીઓ તેની સિદ્ધીના પુરાવા તરીકે સાચવીને રાખે છે. જોકે, બુકનું કવર જોઇને બુક કેવી હશે તેનો નિર્ણય ના લઇ શકાય રીતે માત્ર મર્યાદિત માહિતીના આધારે સ્કુલને રેટિંગ આપવું જરા પણ ઉચિત ગણી શકાય નહિં. ચાલો ચર્ચા કરીએ કે પરિણામ શું નથી દર્શાવતું અને તમારે ધ્યાનમાં લેવા જેવી અમુક બાબતો.

સામાન્ય રીતે બે પ્રકારના આંકડાઓ રજૂ થતા હોય છે. એક તો સ્કુલમાં ટોપ કરેલા વિદ્યાર્થીઓના માર્કસ અંગે આંકને આધારે આપણે એટલી માહિતી મેળવી શકીએ છીએ કે સ્કુલના ટોચના વિદ્યાર્થીઓ કેટલા હોંશિયાર છે પણ આપણે નથી જાણી શકતા સ્કુલમાં ખરાબ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે. 100 વિદ્યાર્થીઓની બેચમાંથી માત્ર કેટલાક અમુક વિદ્યાર્થીઓના માર્કસથી દરેક વિદ્યાર્થી સરખી રીતે હોંશીયાર છે તેવું તારણ ના કાઢી શકાય.

અન્ય આંકડાઓ સ્કુલમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી દર્શાવવામાં આવે છે. સ્કુલનું 100 ટકા પરિણામ છે તેવા સમાચાર સ્કુલ ફેલાવતી હોય છે. જોકે, એજ દર્શાવે છે કે પરીક્ષામાં હાજર રહેલા 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે હકીકતમાં સારા માર્કસ મેળવીને કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે તે માહિતી નથી હોતી.

એક સ્કુલ કે જ્યાં 3 ટોચના સ્કોલર વિદ્યાર્થી છે. અને 37 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ખુબ ઓછા માર્કસ સાથે પરીક્ષા પાસ કરી છે તે સ્કુલ પણ પોતે સારી છે તેવું દર્શાવે છે. હવે કેટલાક લોકો એવી દલીલ કરે છે જો કોઇ સ્કુલના 3 વિદ્યાર્થીઓ બોર્ડ ટોપર્સ છે તો અન્ય વિદ્યાર્થીઓ પણ સારા હશે એવું માની લેવાનું. જોકે હકીકતમાં હોય છે કે ટોપર્સ વિદ્યાર્થીઓ હોય છે કે જે સ્કુલ કરતા ટ્યુશનમાં વધારે સારી રીતે ભણ્યા હોય. ઘણીવાર સ્કુલ પ્રકારના ટોપર્સને આકર્ષિત કરવા માટે ફી જતી કરવાના કિમીયા વાપરે છે. તેથી એકંદરે સ્કુલનું શિક્ષણ નીચલા સ્તરનું સાબીત થતું હોય છે.

સારુ પગલું છે કે સ્કુલના વિદ્યાર્થીઓએ એવરેજ માર્કસ કેટલા મેળવ્યા તે દર્શાવવું જોઇએ. આંકડા સ્કુલનું સાચું સ્તર સાબીત કરી શકશે. જ્યાં સુધી સ્કુલ વિદ્યાર્થી સારા માર્કસ મેળવે તે માટે પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી ટ્યુશનમાં જવા છતાં પણ વિદ્યાર્થીઓની ટકાવારી એવરેજ રહે છે.

ઉપરાંત ટકાવારીની દ્રષ્ટિએ આંકડાઓનું વિતરણ તો વિકલ્પથી સ્કુલની સફળતાને આંકી શકાય, એટલે કે જો સ્કુલ X ના 75 ટકા વિદ્યાર્થીઓ 50 ટકાથી ઉપર માર્કસ ધરાવે છે અને સ્કુલ Yના 75 ટકા વિદ્યાર્થીઓ 70 ટકાથી ઉપર ટકાવારી ધરાવે છે તો તમે તરતજ નક્કી કરી શકશો કે સ્કુલ Y શિક્ષણનું ઉંચું સ્ટાર્ન્ડડ ધરાવે છે. તેથી તમારા સંતાનને Y સ્કુલમાં પ્રવેશ અપાવવાથી તે સારા માર્કસ મેળવી શકશે.

પરીણમમાં સુસંગતતા પણ એવું પાસુ છે કે જેના પર ધ્યાન આપવું જરૂરી બને છે. જો કોઇ સ્કુલ સારા પરિણામનો 15 વર્ષનો એવરેજ ટ્રેડ રેકોર્ડ ધરાવતી હોય તો તમારા સંતાનના તે સ્કુલમાં પ્રવેશ અપાવવો યોગ્ય રહેશે. અન્ય સ્કુલ કે જે 15 વર્ષમાં માત્ર 2 વખત ટોપર્સ આપી શકી છે તે સ્કુલમાં સંતાનને પ્રવેશ ના અપાવવો હિતાવહ છે.

આપણે ના ભુલવું જોઇએ કે ICSE, ઇન્ટરનેશનલ બોર્ડ, ગુજરાત બોર્ડ અને CBSE અલગ અલગ માર્કિંગ પેટર્ન ધરાવે છે. માટે અલગ-અલગ બોર્ડ સ્કૂલને એક યાર્ડસ્ટિક મારફતે સરખામણી કરવાની ભુલ ક્યારેય ના કરતા. એવો કોઇ રસ્તો નથી કે તમે અલગ-અલગ બોર્ડ સ્કુલને તેના પરિણામ મારફતે સરખાવી શકો. તેના માટે તમારે વિદ્યાર્થીઓ JEE અને NEET જેવી પરિક્ષામાં મેળવેલી ટકાવારી પર આધાર રાખવો જરૂરી છે. પ્રવેશ પરીક્ષા માટે તેઓને ટ્યુશનમાં ભણતર અપાય છે.

માટે કહેવાય છે કે બુકના કવરથી બુક કેવી છે તેનો નિર્ણય ના લો અને બોર્ડના પરિણામથી સ્કૂલને ના આંકો...!! 

No comments:

Post a Comment